90 મિનિટે બ્રેક લેવો જરૂરી છે.
શા માટે દર 90 મિનિટે બ્રેક લેવો જરૂરી છે? અલ્ટ્રાડિયન રિધમનું વિજ્ઞાન
કરોડોની BMW હોય કે પછી કોઈ સામાન્ય કાર, બંનેને ચાલવા માટે પેટ્રોલની જરૂર પડે છે. તમારી પાસે લાખો રૂપિયાનો લેટેસ્ટ સ્માર્ટફોન હોય કે પછી જૂના જમાનાનો કીપેડ વાળો ફોન, બંનેને ચાર્જરની જરૂર તો પડે જ છે.
આ જ રીતે, પૃથ્વીનું સૌથી એડવાન્સ મશીન એટલે કે મનુષ્ય, તે પણ ખોરાક ખાઈને અને ઊંઘીને પોતાની જાતને ચાર્જ કરે છે. પરંતુ શું ખરેખર માત્ર ઊંઘવું અને ખાવું જ પૂરતું છે?
અલ્ટ્રાડિયન રિધમ (Ultradian Rhythm) ની શોધ
આપણને સતત પાવર અને ઊર્જા આપવા માટે શું જરૂરી છે? બસ આવા જ એક પ્રશ્નનો જવાબ શોધવા માટે પ્રખ્યાત ફિઝિયોલોજિસ્ટ નાથેનિયલ ક્લેટમેન (Nathaniel Kleitman) એ ઊંઘ અને માનવ શરીર પર ઘણા વર્ષો સુધી સંશોધન કર્યું. આ સંશોધનમાંથી તેમણે મનુષ્યની વધુ એક મોટી જરૂરિયાત શોધી કાઢી - જેને 'અલ્ટ્રાડિયન રિધમ' (Ultradian Rhythm) કહેવામાં આવે છે.
90 મિનિટનો નિયમ: આપણી બેટરી કેવી રીતે કામ કરે છે?
હવે જેમ ખોરાક આપણને ઊર્જા આપે છે અને ઊંઘ શરીરને રિકવરી આપે છે, તેવી જ રીતે દુનિયાના આટલા બધા સંઘર્ષો અને તણાવપૂર્ણ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે આપણા શરીર અને મગજને પણ કેલ્ક્યુલેટિવ રેસ્ટ (ગણતરીપૂર્વકના આરામ) ની જરૂર હોય છે.
આ સંશોધન મુજબ, કોઈ સ્માર્ટફોનની જેમ જ મનુષ્યના મગજની 'બેટરી' પણ દર 90 મિનિટે ડિસ્ચાર્જ થઈ જાય છે. તેને ફરીથી રિચાર્જ કરવા માટે દર 90 મિનિટના અંતરાલ પછી આપણે ફરજિયાત કંઈક ને કંઈક કરવું જોઈએ. એટલે કે એક 'હેલ્ધી બ્રેક' લેવો જોઈએ.
બ્રેક લેવાના ફાયદા અને આપણી ભૂલ
એક રિસર્ચમાં તો ત્યાં સુધી જણાવવામાં આવ્યું છે કે જે લોકો સળંગ કામ કરવાને બદલે 90 મિનિટ પછી થોડો બ્રેક લે છે, તેમનું મગજ સામાન્ય લોકો કરતા 40% વધુ પ્રોડક્ટિવ (ઉત્પાદક) રીતે કામ કરે છે.
પરંતુ વાસ્તવિકતા એ છે કે આપણને આ સાયકલ વિશે ખબર જ નથી. આપણે સળંગ અને સતત કામ કરવાની આદત પાડી ચૂક્યા છીએ. અને આ જ કારણ બને છે: કાયમી થાક (Permanent Fatigue), તણાવ (Stress), ઓવરથિંકિંગ અને કામમાં ઓછી ઉત્પાદકતાનું.
તો હવેથી, જ્યારે પણ તમે કામ કરવા બેસો, ત્યારે દર દોઢ કલાકે (90 મિનિટે) તમારી જગ્યાએથી ઊભા થાઓ, થોડું પાણી પીવો, ઊંડા શ્વાસ લો અને તમારા મગજને ફરીથી 'ચાર્જ' કરો!
Comments
Post a Comment